પ્રકૃતિવાદી એટનબરોને ૨૦૧૯નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અપાશે

Wednesday 27th November 2019 05:31 EST
 
 

નવી દિલ્હીઃ પ્રકૃતિવાદી અને મીડિયાકર્મી સર ડેવિડ એટનબરોની ૨૦૧૯ના ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ઈન્દિરા ગાંધી સ્મારક સમિતિએ બહાર પાડેલા નિવેદન મુજબ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય નિર્ણાયક મંડળે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટેનો ઇન્દિરા ગાંધી પુરસ્કાર આપવા સર એટનબરોની પસંદગી કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે પ્રાકૃતિક જગત માટે કરેલા કાર્યો માટે એટનબરોને આ પુરસ્કાર અપાશે. આ પુરસ્કાર હેઠળ તેમને રૂ. ૨૫ લાખ રોકડા અને સન્માનપત્ર એનાયત થશે. એટનબરો લાંબા સમયથી બીબીસી સાથે જોડાયેલા રહ્યા છે અને નાઇટહૂડ સહિત કેટલાય સન્માન મળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter