વિશ્વ મીડિયાની નજરે મોદીનો નિર્ણય

Saturday 27th November 2021 04:26 EST
 
 

વિશ્વના અગ્રણી અખબારો ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના મોદી સરકારના નિર્ણય અંગે શું કહે છે?

• ન્યૂ યોર્ક ટાઇમ્સ (યુએસ)
અમેરિકી અખબારે લખ્યું કે, ખેડૂત આંદોલન સામે મોદી સરકારે છેવટે વલણ બદલવું જ પડ્યું. સરકારે સોફ્ટ એપ્રોચ અપનાવીને નિર્ણય લેતા વિવાદિત કૃષિ કાયદા પાછા ખેંચી લીધા. ખેડૂતોએ પણ સરકારનો આ નિર્ણય આવકાર્યો.
• ધ ગાર્ડિયન (યુકે)
બ્રિટિશ અખબારે લખ્યું કે ભારતના ખેડૂતો માટે આ એક બહુ મોટી જીત છે. તે માટે તેમણે લગભગ એક વર્ષ સુધી આંદોલન કર્યું. આ કેન્દ્ર સરકારના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક છે, કેમ કે સરકાર આ મુદ્દે અડગ હતી. આ પગલાં પર સૌની નજર હતી.
• સીએનએન (યુએસ)
અમેરિકી વેબસાઇટ સીએનએને લખ્યું કે ભારત સરકાર હવે કૃષિ કાયદા રદ કરશે. કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારનો આ દુર્લભ નિર્ણય છે, કેમ કે એકેય સરકાર ખેડૂતોને નારાજ કરવાનું જોખમ ન લઇ શકે. ચૂંટણી થવાની છે તેમાંથી ઘણાં રાજ્યોમાં ભાજપ સત્તા પર છે.
• ધ ગ્લોબ એન્ડ મેલ (કેનેડા)
કેનેડિયન અખબારે લખ્યું કે વડા પ્રધાન મોદીએ ફરી એક વાર ચોંકાવી દીધા. પ્રકાશપર્વ પર મોદીની આ જાહેરાતના ઘણા ગૂઢાર્થ નીકળી શકે છે. રાજકીય કારણો પણ મહત્વપૂર્ણ છે. આ કાયદા પસાર થયા ત્યારથી સરકારની તકલીફો વધી રહી હતી.
• ધ ડોન (પાકિસ્તાન)
પાકિસ્તાની અખબારે લખ્યું કે કૃષિ કાયદા મુદ્દે મોદીએ પારોઠનાં પગલાં ભરવા પડ્યાં. એક વર્ષના આંદોલન બાદ છેવટે ખેડૂતોની મોટી જીત.
• ડાયચે વેલે (જર્મની)
જર્મન અખબારે જણાવ્યું કે ભલે કૃષિ કાયદા પાછા ખેંચાયા હોય પણ ખેડૂતોને હજુય સરકાર પર બહુ ભરોસો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter