વિશ્વમાં ૪૦ હજાર ભારતીય નાવિકો ફસાયા

Wednesday 08th April 2020 06:45 EDT
 

નવી દિલ્હી: વિશ્વમાં અનેક દેશોમાં કોરોનાને કારણે શટડાઉન લાગુ થતાં ૪૦ હજાર જેટલા ભારતીય જહાજ કર્મચારીઓ અને નાવિકો જુદા જુદા દેશોમાં ફસાઈ ગયા છે. અનેક કાર્ગો અને ક્રૂઝ વેસલ્સ સહિતનાં જહાજો ભારતના દરિયાકાંઠે પાછા ફરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે પણ તેને ભારત આવવામાં ઘણો વિલંબ થવા શક્યતા છે. જહાજોમાં કામ કરતા ક્રૂ મેમ્બર્સ અને નાવિકોની હાલત કફોડી બની છે. મેરીટાઈમ સંસ્થાઓએ જણાવ્યું હતું કે લોકડાઉન હટાવી લેવાયા બાદ તેમને દેશમાં લાવવા મદદ માટે સરકારે ખાતરી આપી છે. હાલ વિશ્વમાં જુદા જુદા સ્થળે ૫૦૦ કાર્ગો વેસલ્સમાં ૧૫,૦૦૦ જહાજી કર્મચારી અને નાવિકો કાર્યરત છે. બીજા ૨૫,૦૦૦ લોકો ક્રૂઝ શિપમાં કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter