ભારતીય બાળકોને ટોય ગન મુદ્દે વળતર

Wednesday 15th February 2017 08:22 EST
 

લંડનઃ પૂર્વ ઈંગ્લેન્ડની એક શાળામાં રમકડાની ગનથી રમતા બે બાળકોની પૂછપરછ કરવાના મુદ્દે તેમના પરિવારને વળતર આપવાનું સેન્ટ્રલ બેડફોર્ડશાયર કાઉન્સિલે સ્વીકાર્યું છે. ગત માર્ચ મહિનામાં આ બાળકો કટ્ટરવાદી બનવાનું જોખમ ધરાવતા હોવાની પોલીસને માહિતી મળતા પૂછપરછ કરાઈ હતી. જોકે, તેમને કશું ચિંતાજનક જણાયું ન હતું.

સાત અને પાંચ વર્ષના બે ભાઈની માતા ભારતીય હિન્દુ વારસો ધરાવે છે, જ્યારે પિતા મિડલ ઈસ્ટના દેશના છે. માતાએ કહ્યું હતું કે‘ શરીરના વર્ણ સિવાય તેમને કટ્ટરવાદિતા સાથે સાંકળતી કોઈ બાબત નથી. ઘરમાં કોઈ અરબી ભાષા બોલતું નથી કે બાળકો મસ્જિદમાં ગયા નથી છતાં, તેમના વિશે આવી વાતો કરાઈ છે. મારાં બાળકો ગભરાઈ ગયાં છે.’

કાઉન્સિલે જણાવ્યું હતું કે બાળકો સામે વંશીય ભેદભાવ આચરાયો હતો અને માફી માગવા સાથે તેમને વળતર આપવા સંમતિ દર્શાવી છે. વળતરની રકમ જાહેર કરાઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter