સરદાર પટેલની ૧૪૧મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ

Wednesday 26th October 2016 07:05 EDT
 
 

લંડનઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સરદાર પટેલ સંબંધિત ડોક્યુમેન્ટરીની રજૂઆત અને પ્રવચનોનો સમાવેશ થાય છે. હળવા રીફ્રેશમેન્ટ સાથે કાર્યકર્મનું સમાપન કરાશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આવો કાર્યક્રમ યોજાયો છે. આ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતીથી એક સપ્તાહના સમયગાળાને સરદાર પટેલ સપ્તાહ તરીકે જાહેર કરેલ છે, જે રાષ્ટ્રીય એકતા સપ્તાહ તરીકે ઓળખાશે. વડા પ્રધાન મોદી આ સપ્તાહમાં મહત્ત્વના કાર્યક્રમો/ ઈવેન્ટ્સમાં હાજરી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter