સુખરાજસિંહ અટવાલ સામે હત્યાની ટ્રાયલ

Wednesday 15th February 2017 08:23 EST
 
 

લંડનઃ ડર્બીશાયરમાં શીખ ગુરુદ્વારા નજીક જુલાઈ ૨૦૧૫માં મળેલા ૭૪ વર્ષીય સતનામસિંહની હત્યા સંદર્ભે ૨૯ વર્ષીય સુખરાજસિંહ અટવાલ સામે નોટિંગહામ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલનો આરંભ થયો છે. પોલીસે જણાવ્યું હતું કે ઈજા જોતાં મૃતકની કાર સાથે ટક્કર થઈ હોઈ શકે. જોકે, ફોરેન્સિક પરીક્ષણોમાં કારથી ટક્કર નહિ થયાનું બહાર આવ્યું છે. અટવાલે તેણે હત્યા કર્યાનું નકાર્યું હતું.

પ્રોસીક્યુશને આક્ષેપ કર્યો હતો કે અટવાલ વારંવાર સતનામસિંહ સાથે ટકરાયો હતો અને તેમની પર કુદ્યો હતો. સતનામસિંહ અટવાલની માતાના પૂર્વ પતિના પિતા હતા. સતનામસિંહ ૨૩ જુલાઈની વહેલી સવારે સેવા આપવા ગુરુદ્વારા ચાલીને જઈ રહ્યા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. તેમના પાંસળીઓને ૪૧ ફ્રેક્ચર, હૃદય પર ઉઝરડાં તેમજ માતા અને ચહેરા પર ઈજા જોવાં મળી હતી. હુમલાના સમયે અટવાલની કાર અનેક વખત સ્થાનિક સીસીટીવી કેમેરામાં ઝડપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter