35 વર્ષમાં પહેલીવાર શ્રીનગરમાં ગણેશ વિસર્જન

Thursday 11th September 2025 06:29 EDT
 
 

શ્રીનગરઃ અલગતાવાદથી બહાર આવી ચૂકેલી કાશ્મીર ઘાટીમાં હિંદુઓ હવે ખુલ્લેઆમ તહેવારો ઉજવી રહ્યા છે. શ્રીનગરમાં 35 વર્ષ પછી સ્થાપિત થયેલી એક્માત્ર ગણપતિની મૂર્તિનું કાશ્મીરી પંડિતોએ જેલમ નદીમાં વિસર્જન કર્યું હતું. આ પહેલાં, કાશ્મીરી પંડિત મહિલાઓ અને પુરુષોના સમૂહે ઇન્દિરા નગરથી રાજબાગ સુધી શંખ, મંજીરા અને બેન્ડ-વાજાં સાથે ભગવાન ગણપતિની શોભાયાત્રા કાઢી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter