નવી દિલ્હીઃ દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ કરજમાં ડૂબેલી છે. એમાંથી બહાર નીકળવા માટે કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમના ભાગરૂપે લગભગ ૭૮,૫૫૯ કર્મચારી એક સાથે નિવૃત્ત થયા હતા. બીએસએનએલના કુલ કર્મચારીઓની સંખ્યા અત્યાર સુધી ૧,૬૩ લાખ હતી. ૭૮,૫૫૯ અધકારીઓ-કર્મચારીઓ એક સાથે નિવૃત્ત થતા હવે કર્મચારીઓની સંખ્યા ૮૫ હજાર જેટલી રહેશે.