ISમાં જોડાયેલા ચાર ભારતીયોને વતન પરત આવવું છે

Thursday 27th November 2014 06:55 EST
 

ગૃહ મંત્રાલયના અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અમારી પાસે માહિતી છે કે કલ્યાણના ત્રણ યુવકોને પરત ફરવું છે. તેઓ ISના ઉગ્રવાદીઓ સાથે લડવા ઇરાક ગયા હતા. પરિવારોએ સરકારનો સંપર્ક કર્યો નથી. એક યુવાન આરીબના પિતા એઝાઝ મજીદ જરૂર મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સા પરથી અન્ય યુવકો વિશે પણ જાણવા મળશે.

આરીબ તેના મિત્રો અમન નઇમ ટંડેલ, ફહાદ તનવીર શેખ અને સાહિમ ફારૂખટંકી સાથે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તેઓ ઈરાક જતા પ્રવાસીઓ સાથે જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter