NRI એર ઈન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદી શકશે

Tuesday 10th March 2020 06:42 EDT
 

નવી દિલ્હીઃ ભારતીય નાગરિકતા ધરાવતા NRI હવે સબસ્ટેન્શિયલ ઓનરશિપ એન્ડ ઇફેક્ટિવ કંટ્રોલ નિયમનું  ઉલ્લંઘન કર્યા વિના એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદી શકે છે. એર ઇન્ડિયાના વેચાણ માટેના ગ્રાહકોનો વ્યાપ વધારવા કેન્દ્રિય કેબિનેટે આ બાબતની મંજૂરી આપી દીધી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, અગાઉ NRIની માલિકી ૪૯ ટકા જ રખાઈ હતી કારણ કે એર ઇન્ડિયા પર ૫૧ ટકાનો બહુમતી અધિકાર ભારતીયોનો હોય તે જરૂરી હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter