અણ્ણાના ઉપવાસની પૂર્ણાહુતિ

Friday 30th March 2018 07:54 EDT
 
 

નવી દિલ્હીઃ દેશમાં લોકપાલની નિમણૂક કરવામાં આવે તેવી માગણી સાથે ઉપવાસ પર બેસનારા સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ છ દિવસ પછી તેમનું આંદોલન સમેટી લીધું છે. જ્યાં સુધી લોકપાલ નહીં આવે ત્યાં સુધી લડાઈ જારી રહેશે તેમ કહેનારા અણ્ણાએ છ દિવસમાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથે નારિયેળનું પાણી પીને ૨૯મી માર્ચે તેમના ઉપવાસ તોડી નાંખ્યા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં અત્યંત પાંખી હાજરીમાં છ દિવસ સુધી ઉપવાસ કરનારા અણ્ણાને લોકપાલ લવાશે કે કેમ તેની ખાતરી મળી કે નહીં તે સવાલ થઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter