અદાણી જૂથ બંગાળમાં રોકાણ કરવા ઉત્સુકઃ મમતા બેનરજી - ગૌતમ અદાણીની મુલાકાત

Sunday 12th December 2021 13:51 EST
 
 

અમદાવાદઃ અદાણી જૂથ દ્વારા હવે પશ્ચિમ બંગાળમાં પણ ઉદ્યોગ સ્થાપવા માટે ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળે છે. આ કવાયતના ભાગરૂપે તાજેતરમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની મુલાકાત લીધી હતી. પશ્ચિમ બંગાળ વિપુલ માત્રામાં બંદર અને ખનીજ સહિતની કુદરતી સંપત્તિ ધરાવતું રાજ્ય છે. આ રાજ્યમાં ઉદ્યોગોના વિકાસની શક્યતાઓ તેમજ આવશ્યક રોજગારીની તકોના નિર્માણની જરૂર હોવાના એક અભ્યાસના આધારે અદાણી પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ સ્થાપવા અને રોજગારીની તકોના નિર્માણ માટે ઈરાદો ધરાવે છે. આ હેતુસર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા એપ્રિલ ૨૦૨૨માં બિઝનેસ મીટના કાર્યક્રમમાં હાજરી આપવા ગૌતમ અદાણીએ તૈયારી દર્શાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter