લખનૌઃ માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીની પાર્ટી ‘કૌમી એકતા દલ’ના સમાજવાદી પાર્ટીમાં વિલીનીકરણને કારણે યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ નારાજ હોવાનું મનાય છે. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા અન્સારીને પાર્ટીમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પાર્ટીના નેતા અને રાજ્યના સિનિયર પ્રધાન બલરામ યાદવને હોદ્દા પરથી બરખાસ્ત કરી દીધા હતા. અખિલેશે ૨૨મી જૂને પોતાના તમામ કાર્યક્રમો રદ કરી નાંખ્યા હતા. દરમિયાન પાર્ટીમાં વિવાદ જોતાં સપા પ્રમુખ ૨૫ તારીખે પાર્ટી નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ વિલિનિકરણ પર પાર્ટી બોર્ડ નિર્ણય કરશે.