અયોધ્યા કેસની દૈનિક સુનાવણીઃ જીવંત પ્રસારણ અંગે સુપ્રીમની વિચારણા

Wednesday 07th August 2019 08:37 EDT
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં જે દૈનિક ધોરણે સુનાવણી શરૂ થવાની છે તેનું રેકોર્ડિંગ કરવુ જોઇએ કે કેમ તે પ્રશાસનીક પક્ષે વિચારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે છઠ્ઠીથી દૈનિક ધોરણે અયોધ્યા કેસની સુનાવણી શરૂ કરી  છે.  આ સ્થિતિ વચ્ચે કોર્ટમાં સંઘના પૂર્વ વિચારક કે. એન. ગોવિંદાચાર્યએ એક અપીલ દાખલ કરી છે જેમાં તેમણે માગણી કરી હતી કે આ કેસની જે સુનાવણી હાથ ધરવામાં આવે તેનું લાઇવ રેકોર્ડિંગ કરવામાં આવે. આ ઉપરાંત લાઇવ સ્ટ્રિમિંગની પણ તેમણે માગણી કરી હતી. ગોવિંદાચાર્યની અરજીની સુપ્રીમ કોર્ટની બેંચ એસ. એ. બોબડે અને બી. આર. ગવાઇ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter