અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન માટે મોદીને આમંત્રણ

Saturday 11th July 2020 16:31 EDT
 

અયોધ્યા: ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શ્રાવણ માસમાં શરૂ થઈ જશે. આ માટે વડા પ્રધાન મોદીને આમંત્રણ અપાયું છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહામંત્રી ચંપત રાયે પત્ર લખીને આગ્રહ કર્યો કે તે શ્રાવણ માસમાં અયોધ્યા આવીને પાયો નાખે. મુલાકાત સંભવ ન થાય તો વીડિયો કોન્ફરન્સિંગથી ભૂમિપૂજન કરી શકે. નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલ નયન દાસ કહે છે કે શ્રાવણ માસ શુભ છે. આ દરમિયાન શરૂ થનારું કામ પૂરું જ થાય છે. શ્રાવણ છ જુલાઈથી શરૂ થઈને ત્રણ ઓગસ્ટે પૂરો થશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter