નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા માટેની કેન્દ્ર સરકારને અરજી કરી હતી. કુંભમેળાના ૧૫ દિવસ અગાઉ જ કેન્દ્ર સરકારે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રયાગરાજમાં કુંભ મેળાની શરૂઆત ૧૫ જાન્યુઆરીએ મકર સંક્રાતિના દિવસે થશે અને તેનું સમાપન ચાર માર્ચે શિવરાત્રિના દિવસે થશે.