શ્રીનગરઃ પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા આતંકી મોહમ્મદ હસને એક નિવેદન જારી કરીને પુલવામાં થયેલા ફિદાઇન હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકીએ સ્થાનિક ન્યૂઝ એજન્સીને એક વીડિયો ક્લિપિંગમાં પોતાનું નિવેદન મોકલ્યું છે, જેમાં તેણે જણાવ્યું છે કે આત્મઘાતી હુમલાને અંજામ આપનાર પુલવામાના ગુંડઈબાગનો રહેવાસી આદિલ અહમદ ડાર ઉર્ફે વકાસ કમાન્ડો છે. આ દરમિયાન આદિલની એક વીડિયો ક્લીપ પણ ફરતી થઈ છે. જેમાં તે પોતાને જૈશનો કમાન્ડર ગણાવે છે. તે કહે છે કે ‘ગિન રખા હૈ અપને લહૂ કા હર કતરા હમને, ન બખ્શે હમારે શહીદ હમે, જો હમને તુમકો એક-એક કતરા ગિનવાયા નહીં.’