આતંકવાદને નાથવા ગૃહ મંત્રાલયે ટીમ રચી

Wednesday 29th July 2020 08:19 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે આતંકી પ્રવૃત્તિમાં સામેલ લોકો પર કડક કાર્યવાહી માટે UAPA સંશોધન બિલના નવા કાયદા હેઠળ એક નવી ટીમ બનાવી છે. ૪૪ જણાની આ ટીમનું નામ સ્પેશિયલ ૪૪ છે. આ ટીમમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ રિઝર્વ બેન્ક, ગૃહ મંત્રાલય, સેબી, રાજ્યોની એટીએસ, રાજ્યોની સીઆઇડી સહિત બીજા વિભાગ સામેલ હશે. ગૃહ મંત્રાલયે નવા યુએપીએ કાયદા હેઠળ જે આતંકવાદીઓની યાદી જાહેર કરી છે, તેની સંપત્તિ શોધી કાઢી જપ્ત કરશે. આ કાયદા હેઠળની યાદીમાં અત્યાર સુધીમાં દાઉદ ઇબ્રાહીમ, મસૂદ અઝહર, ઝાકીર ઉર રહેમાન લખવી અને હાફિઝ સઇદ સહિત ૧૩નાં નામ છે.
૯ ખાલિસ્તાની આતંકવાદીઓને વ્યક્તિગત રીતે યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યા છે. સ્પેશ્યલ ૪૪ના અધિકારીઓ એવા લોકો પર નજર રાખશે જેમની વિરુદ્ધ UAPA કાયદા હેઠળ કેસ દાખલ થયેલા છે. આ અધિકારી આતંકવાદીઓની સંપત્તિ પર નજર રાખશે. સાથે જ તેમની સંપત્તિ જપ્ત કરવા અને બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરવા માટે પણ આદેશ આપશે. ગૃહ મંત્રાલયના સૂત્ર મુજબ આ ૪૪ અધિકારીઓને વિદેશ મંત્રાલય, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આતંકવાદી જાહેર થયેલા લોકોની યાદી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter