આસામ ગણપરિષદે ભાજપ સાથે છેડો ફાડયો

Wednesday 09th January 2019 06:08 EST
 

ગુવાહાટી: વિવાદાસ્પદ નાગરિક (સુધારા) બિલને પાછું ખેંચી લેવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને સમજાવવાના પ્રયાસ બાદ આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળના મોરચાવાળી સરકારના એક સહયોગી આસામ ગણપરિષદે ભાજપ સાથે સાતમીએ છેડો ફાડયો હતો. એજીપીના પ્રમુખ અને કૃષિ પ્રધાન અતુલ બોરાએ જણાવ્યું હતું કે, અમે આ બિલનો વિરોધ માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. બિલ સામેના વિરોધથી આસામ સળગી રહ્યું છે, ત્યારે નીતિશકુમાર અને શિવસેનાએ ટેકો આપ્યો છે જ્યારે ભાજપે આસામના લોકોની લાગણીને અવગણી છે. તેથી ભાજપ સાથે મોરચો યથાવત્ રાખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બોરા અને એજીપીના નેતાઓએ રાજનાથસિંહ સાથે સોમવારે સવારે મિટિંગ યોજી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter