આસામ-બિહારમાં પૂરથી તબાહીઃ ૪૦ લાખ બેઘર

Tuesday 28th July 2020 08:12 EDT
 
 

ગોવાહાટીઃ આસામ અને બિહાર વિનાશકારી પૂરનો સામનો કરી રહ્યાં છે. બંને રાજ્યમાં પૂરની સ્થિતિ વણસી જતાં આશરે ૪૦ લાખ લોકો બેઘર બન્યાં છે. બ્રહ્મપુત્રા નદીનાં જળસ્તરમાં વધારો થતાં ૨૫૨૫ ગામો પૂરનાં પાણીમાં ડૂબ્યાં છે તથા ૧૧૫૫૧૫થી વધુ હેક્ટર વિસ્તારનો પાક નષ્ટ થયો છે. કાઝીરંગા નેશનલ પાર્કનાં ૧૨૦થી વધુ પ્રાણીઓનાં મોત થયાંના અહેવાલ ૨૪મી જુલાઈએ હતા. વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં ૧૧૫થી વધુ લોકોનાં મોત થયાં છે.
આસામના વિભિન્ન જિલ્લાઓમાં ચોથી વખત પૂર આવ્યું છે. પૂરની સ્થિતિમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ અને તેનો પતિ નિકે પૂર પીડિતોને મદદ કરી છે. પ્રિયંકા આસામ ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. હું ચોક્કસ વિશ્વસનીય સંગઠનો કામ કરી રહ્યા છે તેમના રિપોર્ટ્સ શેર કરી રહી છું. તેઓ આસામમાં બહુ સારું કામ કરી રહ્યા છે મેં અને નિકે પણ દાન કર્યું છે. આપણે પણ સદકાર્ય કરી રહેલા સંગઠનોને સહકાર આપીએ જેથી જરૂરિયાતમંદોને મદદ કરી શકાય. પૂરમાં ફસાયેલા બિહાર રાજ્યનાં ૧૦ જિલ્લાના ૬.૫૦ લાખ લોકો પર અસર પડી છે. ગંગા નદીને બાદ કરતાં રાજ્યના ઘાઘરા, કોશી અને ગંડક નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે. આ નદીઓનાં પાણીનાં વધારો થતા સીતામઢી, શિવહર, સુપોલ, કિશનગંજ, દરભંગા ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણની હાલત ખરાબ થઈ છે. ગોપાલગંજમાં મંદિર, મસ્જિદ, સ્કૂલ, મદરેસા અને તમામ ઘરો પાણીમાં ડૂબી ગયાં છે તથા સેંકડો ઘરો ધ્વસ્ત થઈ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter