ગુવાહાટી: આસામ અને ગુવાહાટીની સરહદે ૧૭મી ઓક્ટોબરે સાંજે બંને રાજ્યનાં લોકો વચ્ચે હિંસક અથડામણ સર્જાતાં ૨૦ જેટલા ઝૂંપડા અને દુકાનોની આગચંપી થઇ અને સંખ્યાબંધ લોકો ઘવાયા હતા. મિઝો ચેકપોસ્ટ ઊભી થયાના મુદ્દે બંને રાજ્યના સરહદી પ્રદેશના લોકો વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટના પછી પણ વિસ્તારમાં તંગદિલી પ્રવર્તી હતી. સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહસચિવ અજયકુમાર ભલ્લાએ સોમવારે બંને રાજ્યના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. મંગળવારના અહેવાલો મુજબ સ્થિતિ અંકુશમાં છે.