ઇકબાલ મિર્ચી કેસમાં ડીએચએફએલના પ્રમોટરની ધરપકડ

Tuesday 28th January 2020 07:44 EST
 

મુંબઈઃ મૃત ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી અને અન્યો સામેની મની લોન્ડરિંગ કેસની તપાસમાં દીવાન હાઉસિંગ ફાયનાન્સ લિ. (ડીએચએફએલ)ના ચેરમેન અને એમડી કપિલ વાધવાનની ૨૭મી જાન્યુઆરીએ ઇડીએ ધરપકડ કરી છે. પીએમએલએ કાયદા હેઠળ વાધવાનની ધરપકડ કરવામાં આવી છે અને વાધવાન તપાસમાં સહયોગ નથી આપી રહ્યા આ સાથે જ દેવાના ડુંગર તળે દબાયેલી ડીએચએફએલની મુશ્કેલીમાં વધારો થયો છે. વાધવાને ઈડી કસ્ટડી માટે સાંજે વિશેષ અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter