મુંબઇઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ૩૨૦ નિયો વિમાન ગ્રાઉન્ડેડ કરતાં ઈન્ડિગો અને ગો એરે કુલ ૬૦૦ ફ્લાઇટ ચાલુ માસે રદ કરી હતી. તેમાં ૪૮૮ ઈન્ડિગોની હતી. દરરોજ લગભગ સરેરાશ ૧૨૦૦ ફ્લાઇટ ચલાવતી આ બંને એરલાઇનનું ઉનાળાના વેકેશનનું શેડયુલ ખોરવાશે. બંને એરલાઇન પાસે ટિકિટ લેનારા પ્રવાસીઓને વિકલ્પ કે વળતર આપવાનું કોઇ આયોજન નથી. ઈન્ડિગાએ ૧૫થી ૩૧ માર્ચ સુધીની ૪૮૮ અને ગો એરે ૧૩૮ ફ્લાઇટ રદ કરી છે તેમ બંને એરલાઇનની વેબસાઇટમાં જણાવાયું હતું.