ચેન્નઇઃ આવકવેરા વિભાગે એક આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપના કેસમાં ૪ નવેમ્બરના રોજ ચેન્નઇ અને મદુરાઈ સ્થિત કંપનીના પાંચ ઠેકાણા પર દરોડા પાડયા હતા. આવકવેરા વિભાગ દ્વારા ૭મી નવેમ્બરે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીમાંથી રૂ. ૧૦૦૦ કરોડની બેહિસાબી આવક ઝડપી લેવાઈ છે. સિંગાપોરમાં રજિસ્ટર્ડ કંપનીમાં શંકાસ્પદ રોકાણોના પુરાવા મળ્યા છે. આ ચોક્કસ કંપનીના શેર અન્ય બેના નામે છે જેમાંથી એક ગ્રૂપ પર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી. બીજી કંપની એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ફાઇનાન્સ ગ્રૂપની પેટા કંપની છે.