નવી દિલ્હી: દિલ્હીની કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ મામલે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત ૭ ઓરોપીને ૧૩મી માર્ચે ૧૦ વર્ષની કેદની સજા ફરમાવી છે. કોર્ટે સેંગર અને તેના ભાઇ અતુલ સેંગરને પીડિયાના પરિવારને ૧૦-૧૦ લાખ રૂ. વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
સેશન્સ જજ ધર્મેશ શર્માએ ૪ માર્ચે આપલે ચુકાદામાં ઉન્નાવ જિલ્લાની દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મોત મામલે સેંગર સહિત ૭ આરોપીને દોષિત ઠેરવ્યા હતા. આ અગાઉ સેંગર પીડિતાના અપહરણ અને દુષ્કર્મ મામલે પણ દોષિત ઠરી ચૂક્યો છે. ગત ૨૦ ડિસેમ્બરે કોર્ટે તેને આજીવન કેદની સજા ફરમાવી હતી. ભાજપે આ મામલે સામે આવ્યા બાદ સેંગરની પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી.