મુંબઈઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે કહ્યું છે કે વર્ષ ૨૦૧૪ સુધી બેન્કો, સરકાર અને નિયામક સંસ્થાઓની નિષ્ફળતાના કારણે બેન્કોની એનપીએની મુશ્કેલી સર્જાઈ હતી. તેના કારણે બેન્કોના કેપિટલ બેઝમાં ઘટાડો થયો હતો. આ મુશ્કેલી સામે લડવા આરબીઆઇ કેટલાંક પગલાં ઉઠાવવા જોઈતાં હતાં, પરંતુ આરબીઆઇએ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી. મારું માનવું છે કે, બેન્કિંગ ક્ષેત્રમાં યથાસ્થિતિ તરફ પાછા ફરવાની લાલચથી બચવું જોઈએ.