નવી દિલ્હીઃ રિપબ્લિક ટીવીના પત્રકાર અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ લિક થઈ તેમાં વિવિધ રાજકીય અને ભારતના સૈન્ય વિભાગ લક્ષી મુદ્દા પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આ ચેટ લિક થયા પછી વિપક્ષોએ વિવિધ મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે, બાલાકોટ એરસ્ટ્રાઈકની અર્નબ ગોસ્વામીને ૩ દિવસ પહેલાં કેવી રીતે ખબર પડી? રાષ્ટ્રીય સુરક્ષા જેવો સંવેદનશીલ મુદ્દો હોવા છતાં આવું કેમ થયું તેનો રાજનાથ સિંહ દેશવાસીઓ સમક્ષ ખુલાસો કરે એવી પણ માગ પૂર્વ ગૃહ પ્રધાને કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાનો આટલો સંવેદનશીલ મુદ્દો હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ તે બાબતે રાજનાથ સિંહ દેશને જવાબ આપે.