કરતારપુર કોરિડોરમાં આખું વર્ષ શ્રદ્ધાળુઓ વિઝા વિના જઈ શકશે

Thursday 05th September 2019 08:11 EDT
 

નવી દિલ્હીઃ કરતારપુર સાહિબ કોરિડોર શરૂ કરવાની દિશામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમૃતસરના અટારીમાં સતત ત્રીજી બેઠકની ચોથીએ શરૂઆત થઈ. બન્ને પક્ષ એ વાતે સંમત છે કે, આ કોરિડોર આખું વર્ષ ખુલ્લી રહેશે અને તીર્થયાત્રીઓને એકલા કે સમૂહમાં યાત્રા કરવાનો વિકલ્પ પણ રહેશે. આ દરમિયાન કેટલાક મતભેદના કારણે કરારને અંતિમ રૂપ આપી ના શકાયું.

પાકિસ્તાન ગુરુદ્વારા યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ પાસેથી સેવા શુલ્ક વસૂલવા ઇચ્છે છે. આ ઉપરાંત પાકિસ્તાન ગુરુદ્વારામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને પણ મંજૂરી આપવા નથી ઇચ્છતું. ભારતે પાકિસ્તાનને આ મુદ્દે બીજી વાર વિચાર કરવાની અપીલ કરી છે. ભારતીય અધિકારીઓએ કહ્યું કે, બન્ને પક્ષ એ વાતે સહમત છે કે, શ્રદ્ધાળુઓને ગુરુદ્વારા દરબાર સાહિબ જવા વિઝાની જરૂર નથી, તેમાં વિદેશી નાગરિકત્વનું કાર્ડ રાખનારા ભારતીયો પણ જઈ શકશે અને કોઈ સાથે ધર્મના આધારે ભેદભાવ પણ નહીં થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter