શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર સરહદેથી ૧૫મી ઓગષ્ટ પહેલાં ભારતમાં આતંકવાદી ષડયંત્ર પાર પાડવા ૧૧૦ આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં હોવાનો ગુપ્તચર તંત્રનો અહેવાલ રજૂ થયો હતો. આતંકવાદીઓને ઘૂસતાં પહેલાં જ ઠાર કરવા માટે સૈન્ય સજ્જ થયું છે. જમ્મુ-કાશ્મીર સરહદે પાક.માં ૧૧૦ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું નાપાક ષડયંત્ર રચાયું છે. ગુપ્તચરતંત્રના અહેવાલ પ્રમાણે ભારતના સ્વાતંત્ર્ય દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો કરવાના ઈરાદે પાકિસ્તાની લશ્કર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની નાપાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ મળીને ૧૧૦ પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું ષડયંત્ર રચ્યું છે.