કાશ્મીરમાં ચાર કલાકમાં છ આતંકી હુમલાઃ ૧૩ જવાન ઘાયલ

Wednesday 14th June 2017 11:17 EDT
 

પુલવામા: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી તત્વોએ માઝા મૂકી છે. મંગળવારે સાંજે ગણતરીના ચાર જ કલાકમાં છ સ્થળોને નિશાન બનાવીને તેમણે ગ્રેનેડ વડે હુમલા કર્યા હતા. આતંકીઓનું મુખ્ય નિશાન સીઆરપીએફ કેમ્પ અને પોલીસ સ્ટેશન હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો અલ-ઉમર મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
આતંકીઓએ મંગળવારે સાંજે પહેલો હુમલો પુલવામાસ્થિત સીઆરપીએફની ૧૮૦મી બટાલિયનના કેમ્પને નિશાન બનાવીને કર્યો હતો. હુમલામાં ૯ જવાનો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ પછી આતંકીઓએ નજીકના ત્રાલમાં આવેલા સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા. આતંકીઓને શોધવા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
૩૯ કલાકમાં છ વાર યુદ્ધવિરામ ભંગ
બીજી તરફ પાકિસ્તાને કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ભારતીય ચોકી ઉપર બેફામ ગોળીબાર કરીને ૩૬ કલાકમાં છઠ્ઠી વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter