નવી દિલ્હીઃ ભાજપ સરકારે પાંચ વર્ષ પછી કાશ્મીર ખીણમાં પંડિતોને વસાવવાની શરૂઆત કરી છે. ભાજપ મહાસચિવ રામ માધવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, કાશ્મીર ખીણમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કાશ્મીરી પંડિતોને ફરી વસાવાશે. સરકાર અહીં હિન્દુઓના પુનર્વસનની તૈયારીમાં છે. આ પ્રસ્તાવને ભાજપ હાઇકમાન્ડની લગભગ મંજૂરી પણ મળી ગઈ છે.