વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ

કાશ્મીરમાં ચિનાબ નદી પર એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઊંચા પુલનું નિર્માણ

Wednesday 11th June 2025 04:29 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટે અંજી રેલવે બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકાર્પણ કર્યું તે સાથે જ ભારતીય એન્જિનિયરિંગના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેરાઇ ગયું છે. આ પુલ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ હિસ્સો છે.
પહલગામ આતંકી હુમલા બાદ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર પહોંચેલા વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કટરાથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનના માધ્યમથી પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર રેલ માર્ગે જોડાયા છે. જટિલ ટેક્નોલોજી અને ઉત્કૃષ્ટ એન્જિનિયરીંગના કમાલ સમાન આ ચિનાબ રેલવે બ્રિજ નદીના તળથી 359 મીટર છે, જે જગવિખ્યાત એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઊંચો છે. આ વિવિધ પ્રોજેક્ટ કુલ 47,000 કરોડના રૂપિયાના ખર્ચે સાકાર થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડે હાથ લીધુ હતું. પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને આ હુમલો કરીને ઇન્સાનિયત અને કાશ્મીરિયત પર હુમલો કર્યો છે. (વિશેષ અહેવાલ - પાન 17)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter