કાશ્મીરમાં હુમલાનું કાવતરું નિષ્ફળઃ જૈશના ૩ આતંકીઓને હથિયારો સાથે પકડ્યા

Friday 13th September 2019 08:27 EDT
 

જમ્મુઃ કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવતાં ૧૨મીએ પોલીસે જૈશે મોહમ્મદના ૩ શંકાસ્પદ આતંકવાદીઓને હથિયારોના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જમ્મુ રિજિયનના આઇજીપી માકેશ સિંહે જણાવ્યું હતું કે, ૧૨મીએ સવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક ટ્રકમાંથી ત્રણે આતંકવાદીને હથિયારો સાથે ઝડપી લેવાયા હતા. પંજાબના બામિયાલ વિસ્તારમાંથી કાશ્મીર જઈ રહેલી જિસ્ટ્રેશન નંબર ધરાવતી ટ્રકને ૧૨મીએ સવારે બાતમીના આધારે કઠુઆ જિલ્લામાં જમ્મુ-પઠાણકોટ હાઇવે પર લખનપુર અટકાવવામાં આવી હતી. ટ્રકની જડતી લેતાં આતંકવાદીઓ પાસેથી ૪ એકે-૫૬ રાઇફલ, બે એકે-૪૭ રાઇફલ, ૬ મેગઝિન અને ૧૮૦ લાઇવ રાઉન્ડ તથા રૂ. ૧૧,૦૦૦ રોકડા મળી આવ્યા હતા. પોલીસે જૈશે મોહમ્મદના મનાતા ૩ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter