વોશિંગ્ટનઃ યુએસમાં કાશ્મીરી પંડિતોના એક જૂથે કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ થયેલા ઘટનાક્રમોના એકતરફી અહેવાલો પ્રકાશિત કરવા મામલે સાતમીએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના કાર્યાલય સામે દેખાવો કર્યાં. ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરાના દેખાવકારોએ કહ્યું કે અહેવાલોમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને દેશનિકાલનો કોઈ ઉલ્લેખ નથી.