મુંબઈ: અંબાણી અને પિરામલ પછી દેશના વધુ બે ઉદ્યોગસમૂહમાં સંબંધ બંધાઈ રહ્યો છે. રતન તાતાના સાવકા ભાઈ નોએલના પુત્ર નેવિલ અને વિક્રમ કિર્લોસ્કરની દીકરી માનસીની સગાઈ થઈ છે. ડિસેમ્બર મહિનામાં અંબાણીની પુત્રી ઈશા અને અજય પિરામલના પુત્ર આનંદનો વિવાહ સમારંભ ધામધૂમથી ઊજવાઈ ગયો. ત્યાર પછી માત્ર ચાર હમિનામાં બીજા બે ઉદ્યોગસમૂહો વચ્ચે સંબંધ બની રહ્યો છે. તાતા અને કિર્લોસ્કર સમૂહની મિત્રતા અતિશય જૂની હોવાનું માનવામાં આવે છે. નેવિલ અને માનસીની સગાઈ થતાં સંબંધ વધુ ગાઢ બન્યો છે.