કુવૈતમાં પંદર ભારતીયોની ફાંસી આજીવનમાં ફેરવી

Wednesday 11th April 2018 08:25 EDT
 

નવી દિલ્હીઃ કુવૈતના અમીરે પંદર ભારતીયોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હોવાનું સરકારે પાંચમી એપ્રિલે કહ્યું હતું. ભારતના વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહે આઠમી એપ્રિલે એવું જણાવ્યું હતું કે અન્ય ૧૧૯ કેદીઓની સજાને ‘અમીર ડીક્રી’ દ્વારા ઘટાડવામાં આવી હતી. આ સજાઓ ક્યારે શરૂ કરાઈ અથવા કયા કયા આરોપીઓ છે તે અંગે કોઈ જ વિગતો આપવામાં આવી નહોતી. ૧૧૯ કેદીઓ પૈકી ૫૩ ભારતીયોની જન્મટીમની સજાને ૨૦ વર્ષની કરાઈ હતી. તો ૨૨ કેદીઓને તાત્કાલિક ધોરણે છોડી મૂકવામાં આવ્યા હતા અને ૧૮ કેદીઓની સજામાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો.
૨૫ ભારતીયોની સજા અડધી કરી દેવામાં આવી હતી જ્યારે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે એકની સજાને પા ભાગની કરી દેવામાં આવી હતી. ભારત સરકાર મધ્ય પૂર્વના દેશો સહિત વિદેશોના તેના દૂતાવાસો અને દ્વિપક્ષીય મીકેનિઝમ મારફતે ત્યાંની જેલોમાં બંધ ભારતીય કેદીઓના મુદાઓને નિયમિત રીતે ઊઠાવતા આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter