કેજરીવાલ કે કિરણ? સર્વેના અલગ અલગ તારણ

Wednesday 21st January 2015 06:58 EST
 

આ અગાઉ એબીપી નેલ્સન દ્વારા થયેલા સર્વે અનુસાર, દિલ્હીમાં ફરી એક વાર ત્રિશંકુ વિધાનસભાની રચના થઇ શકે છે. આ સર્વે પ્રમાણે ભાજપને ૩૪, આમ આદમી પાર્ટીને ૨૮ અને કોંગ્રેસને આઠ બેઠકો મળવાની સંભાવના છે.
આ જ એજન્સી દ્વારા નવેમ્બરમાં કરાયેલા સર્વેની સરખામણીમાં ભાજપને ૧૨ સીટોનું નુકસાન થઇ રહ્યું છે. નવેમ્બરના સર્વેમાં ભાજપને ૪૬, ‘આપ’ને ૧૮, કોંગ્રેસને પાંચ અને અન્યને એક બેઠકની સંભાવના વ્યક્ત કરાઇ હતી. આનો અર્થ એ થયો કે છેલ્લા બે મહિનામાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે, છેલ્લા બે મહિનામાં આપને ૧૦ બેઠકોનો ફાયદો થયો છે. સર્વે અનુસાર કેજરીવાલને ૫૪ ટકા લોકો સીએમ તરીકે પસંદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter