કેટરિના-વિક્કી કૌશલને કોરોના નડી ગયોઃ લગ્નમાં મહેમાનોની યાદી ટૂંકાવી રહ્યા છે

Wednesday 01st December 2021 05:29 EST
 
 

મુંબઇઃ વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પોતાના લગ્નની ઘોષણા તો નથી કરી, પરંતુ તેમના લગ્ન વિશે રોજેરોજ નવી નવી વાતો આવ્યા કરે છે. હવે વાત આવી છે કે, તેઓ પોતાના લગ્નના મહેમાનોની સંખ્યા ઓછી કરી રહ્યા છે. જોકે વિક્કી કૌશલની બહેન ડો. ઉપાસના વોહરાએ જણાવ્યું હતું કે, કેટરિના અને વિક્કીના લગ્ન એ એક માત્ર અફવા જ છે, તેઓ લગ્ન નથી કરી રહ્યા.
બીજી તરફ એક અન્ય રિપોર્ટને સાચો માનીએ તો આ યુગલ ૯ ડિસેમ્બરના રોજ લગ્નના ફેરા લેવાનું છે. તેમણે પોતાના લગ્નમાં આમંત્રિતોની એક યાદી તૈયાર કરી લીધી હતી. પરંતુ હવે ફરી આ યાદી પર ફેરવિચારણા થઇ રહી છે. વાત એમ બની છે કે, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન લોકોને સપાટામાં લઇ રહ્યો છે. તેથી સરકાર નવી ગાઇડલાઇન્સ તૈયાર કરી રહી હોવાથી આમંત્રિતોની સંખ્યા ઘટાડવી પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. બ્રિટીશ મૂળની કેટરિનાના લગ્નમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપવાના હતા, પરંતુ ઓમિક્રોનના કારણે સરકાર નવી ગાઇડલાઇન્સ બહાર પાડતા તેમના ભારત આવવા પર સંશય થઇ રહ્યો છે. કેટરિના અને વિક્કીના લગ્નની સંગીત સેરેમનીને કરણ અને ફરાહ કોરિયોગ્રાફ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter