બહરાઇચઃ હિલ્સા અને કેરુંગની સરહદે થઈને કૈલાશ માનસરોવરની યાત્રા માટે નીકળેલા સાત ભારતીય શ્રદ્ધાળુઓના ઓક્સિજનની કમીને કારણે આઠમીએ નિધન થયાં છે. નેપાળના હુમ્લા જિલ્લાના ઉપજિલ્લાધિકારીના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા તમામ તીર્થયાત્રિકોના શબને તેમના પરિવારજનો સુધી પહોંચાડી આપવામાં આવ્યા છે.

