નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના પગલે ચીનને ફરી એક વખત ભારત સાથે સૌહાર્દપૂર્ણ રીતે વાત કરવાની ફરજ પડી છે. ચીને તાજેતરમાં જ જણાવ્યું કે, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નાથુ લા રૂટ ખોલવા મુદ્દે ચર્ચા કરવાની ઓફર કરી છે. ચીને જણાવ્યું છે કે, આ માટે તે ચર્ચા કરવા અને ભારત સાથે સહકાર વધારવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, સિક્કિમ રૂટને ડોકા લા વિવાદ પછી ચીને બંધ કરી દીધો હતો.