કોંગ્રેસને એકલા હાથે બહુમતીની આશા નથીઃ કમલ નાથ

Monday 22nd April 2019 09:42 EDT
 
 

છિંદવાડાઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ મને નથી લાગતું કે પક્ષ એકલા હાથે બહુમતી મેળવી શકશે. ચૂંટણી પછી ગઠબંધન દ્વારા જ દિલ્હીમાં સરકાર બનશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને તેના સાથી પક્ષો પણ બહુમતી નહીં મેળવી શકે. ઘણા પક્ષોના ટેકાથી સરકાર બનશે પણ એ નક્કી છે કે ભાજપ પાસે જેટલા સાથી પક્ષો છે એ ચૂંટણી પછી પણ તેટલા જ રહેશે. ભાજપના સાથીઓ વધશે નહીં, કેમ કે હાલ ભાજપની તરફેણમાં હોય તેવા પક્ષો કરતાં તેનો વિરોધ કરનારા પક્ષો વધારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter