છિંદવાડાઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ મને નથી લાગતું કે પક્ષ એકલા હાથે બહુમતી મેળવી શકશે. ચૂંટણી પછી ગઠબંધન દ્વારા જ દિલ્હીમાં સરકાર બનશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને તેના સાથી પક્ષો પણ બહુમતી નહીં મેળવી શકે. ઘણા પક્ષોના ટેકાથી સરકાર બનશે પણ એ નક્કી છે કે ભાજપ પાસે જેટલા સાથી પક્ષો છે એ ચૂંટણી પછી પણ તેટલા જ રહેશે. ભાજપના સાથીઓ વધશે નહીં, કેમ કે હાલ ભાજપની તરફેણમાં હોય તેવા પક્ષો કરતાં તેનો વિરોધ કરનારા પક્ષો વધારે છે.