કોરોના કાળમાં કેદારનાથ ભક્તો વિના ભેંકાર

Saturday 27th June 2020 08:13 EDT
 
 

રુદ્રપ્રયાગઃ ગયા વર્ષે જ્યાં બાબા બરફાનીના દર્શન કરવા ૨૦ હજાર લોકો કેદારનાથ આવ્યા હતા જ્યારે આ વખતે કોરોના મહામારીના કારણે છેલ્લા નવ દિવસોમાં માત્ર ૨૩ લોકોએ જ બરફાની બાબાના દર્શન કર્યા હોવાના અહેવાલ ૨૧મી જૂને હતા. એક અંદાજ મુજબ રોજના ત્રણ કે ચાર શ્રદ્ધાળુઓ જ બાબાના દર્શને આવે છે. ચારધામ પૈકીના એક કેદારનાથના કપાટ ૨૯ એપ્રિલે ખોલવામાં આવે છે. આ વખતે ૧૧ જૂનથી સ્થાનિકો માટે મંદિર ખુલ્લું મુકાયું હતું. કેદારનાથ ધામના પૂજારીઓ, મજૂરો અને કર્મચારીઓ સિવાય છેલ્લા નવ દિવસોમાં માત્ર ૨૩ લોકો જ અહીં આવ્યા છે. કોરોનાના ભયને કારણે ભક્તો અહીં આવતા નથી. ઉપરાંત કેદારનાર પહેલા જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી. યાત્રાના પડાવ નહીં હોવાના કારણે સ્થાનિક લોકો પણ જતા નથી. સૌથી વધુ નેપાળી મૂળના લોકો કેદારનાથ પહોંચી રહ્યા છે. તેઓ મોટા ભાગે મજૂરી કરવા અને રોજીરોટી કમાવવા માટે જ આવે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter