ગાંધીજીની હત્યાની ફેરતપાસ નહીં

Wednesday 06th March 2019 07:09 EST
 

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીની હત્યા સુધી લઈ જનાર કથિત મોટા ષડયંત્રની પુનઃ તપાસ કરવા ઈચ્છતી અરજીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં સુનાવણી કરવામાં આવતા એવું કહેવામાં આવ્યું કે અમારો આ કેસમાં અગાઉ આપવામાં આવેલો ચુકાદો યોગ્ય જ હતો અને તે ચુકાદાને રદ્દ કરવા માટે કોઈ જ યોગ્ય પ્રકારનું કારણ હાલમાં જાણી શકાતું નથી.
આ બાબતમાં નવા દસ્તાવેજ, જરૂરી કાગળ કે પુરાવા તમામ શંકાઓને દૂર કરશે એવો દાવો કરનાર સમીક્ષાની અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. અમે ખૂબ જ ચીવટથી સમીક્ષા અરજીનો અભ્યાસ કર્યો હતો અને અત્રે ફાઈલ કરેલા પેપર્સ સાથે તેને જોડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter