ગેહલોત સરકારે વિશ્વાસનો મત જીત્યો

Tuesday 18th August 2020 17:09 EDT
 

જયપુરઃ રાજસ્થાનમાં જારી રાજકીય ઘમસાણ વચ્ચે અશોક ગેહલોતની સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. ૧૪મી ઓગસ્ટે સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા થઇ. મુખ્ય પ્રધાન ગેહલોતે ગૃહમાં પોતાની વાત મૂકવા બાદ વિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરી દેવાયો. આ સાથે વિધાનસભા અધ્યક્ષ સી. પી.જોશીએ ગૃહની કાર્યવાહી ૨૧ ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter