ગોરખપુર બીઆરડી હોસ્પિટલમાં ફરી ૪૨ બાળકોનાં મોત

Thursday 31st August 2017 08:45 EDT
 

ગોરખપુરઃ ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં બાળકોના મોતનું તાંડવ હજી ચાલુ રહ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં ૪૨ બાળકોનાં મોત થવાનાં અહેવાલોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ૩૦મીએ અહેવાલ હતા કે છેલ્લા ૩ દિવસમાં આ હોસ્પિટલમાં જુદા જુદા રોગને કારણે ૬૧ બાળકોને મતોને ભેટ્યા છે. આમ છતાં યુપીનાં સીએમ યોગીનાં પેટનું પાણી હલતું નથી. એકલા ઓગસ્ટ મહિનામાં જ ૨૯૦ માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે. એક બાજુ માસૂમ બાળકો ટપોટપ મરે છે ત્યારે સીએમ યોગી સત્તાના મદમાં મસ્ત થઈને જવાબદારો સામે કોઈ એક્શન લેતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter