ચીની સૈનિકો એક કિમી સુધી અરુણાચલમાં ઘૂસી આવ્યા

Thursday 04th January 2018 04:12 EST
 
 

બિજિંગઃ ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં એવા અહેવાલો છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી હતી. ગયા મહિને જ આશરે એક કિમી સુધી ચીની સૈનિકો ઘૂસી આવ્યા હતા. આ વિસ્તારમાં ચીની સૈનિકો રોડ બનાવવા માગતા હતા. સૈનિકો રોડ બનાવવાની તોતિંગ મશીનરીઓ સાથે ઘૂસ્યા હતા. જોકે આ સૈનિકોને ભારતીય સૈન્યએ અંદર આવતાંની સાથે જ અટકાવી દીધા હતા અને તેમની પાસેની મશીનરીને પણ જપ્ત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક મળી હતી. આવી સ્થિતિમાં અહેવાલો બહાર આવ્યા છે કે એક તરફ ચીન શાંતિની વાતો કરી રહ્યું છે જ્યારે બીજી તરફ આ જ ચીને અરુણાચલ પ્રદેશમાં પેસી ગયું હતું. જોકે આવી કોઇ જ ઘૂસણખોરી કરી હોવાનો ચીની સૈન્યના કેટલાક અધિકારીઓએ ઇનકાર કર્યો હતો, પણ બીજી બાજુ એવા મીડિયા રિપોર્ટ બહાર આવી રહ્યા છે કે આ ઘુસણખોરી ડિસેમ્બર મહિનાના અંતમાં થઈ હતી. સરહદે સ્થિતિ પણ તંગ થઈ હતી કેમ કે ચીની અને ભારતીય સૈન્ય સામ સામે આવી ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter