છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ૧૪ જવાન શહીદ

Thursday 04th December 2014 07:53 EST
 

નક્સલીઓએ અચાનક કરેલા આઈઈડી બ્લાસ્ટમાં બટાલિયનના ૧૨ જવાન અને ૨ ઓફિસર શહીદ થયા છે. સવારે ૧૦:૩૦ વાગ્યે આ હુમલો થયો હતો. આ પેટ્રોલિંગ યુનિટમાં ૧૨૦ જવાન સામેલ હતા. છત્તીસગઢમાં સીઆરપીએફ પર થયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે રાજ્યની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતા. આ હુમલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખોડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter