બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. અમરનાથની ગુફામાં શિવલિંગ આકાર લઈ રહ્યું છે. આ સાથે જ વિગત પણ આવી છે કે ૨૮ જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ૨૮ જૂનથી શરૂ થનારી આ ધાર્મિકયાત્રા ૫૬ દિવસ સુધી ચાલશે અને ૨૨ ઓગસ્ટે પૂર્ણ થશે. આ વર્ષે પણ કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. હાલમાં ૧૩ વર્ષથી નાના અને ૭૫ વર્ષથી ઉંપરની ઉંમરના લોકો અને ગર્ભવતીઓ માટે આ યાત્રામાં ભાગ લઈ શકશે નહીં.