ડોભાલના કાશ્મીરમાં ડેરાતંબૂ

Wednesday 14th August 2019 08:15 EDT
 
 

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ દૂર થયા બાદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ શોપિયાં પહોંચ્યા હતા. જ્યાં અજિત ડોભાલે લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે જાહેરમાં ભોજન પણ કર્યું હતું. તેમણે અલગ અલગ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેઓ સામાન્ય લોકોને સીધા જ જઈને મળ્યા હતા. ત્યારબાદ ત્યાંના પોલીસ અધિકારીઓ અને સુરક્ષા જવાનો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter