કોઇમ્બતુરઃ તામિલનાડુના ઇરોડમાં એક મહિલાએ વેપારી પતિના વીમાના ૩.૫ કરોડ રૂપિયા મેળવવા માટે તેને જીવતો સળગાવી દીધો હતો. પત્નીએ એક સંબંધીને પણ આ ષડયંત્રમાં સામેલ કર્યો હતો.
થુડુપતિના રહેવાસી ૬૨ વર્ષના વેપારી કે. રંગરાજનો થોડાં દિવસો પૂર્વ અક્સ્માત થયો હતો. સારવાર માટે તેઓ ઘણાં દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ગયા શુક્રવારે તેમને રજા અપાઇ ત્યારે તેમની ૫૭ વર્ષીય પત્ની જ્યોતિમણી તથા સંબંધી રાજા પણ સાથે હતા. ઘરે જતી વખતે રસ્તાનાં રાજા અને જ્યોતિમણી કારમાંથી ઉતરી ગયા અને કાર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. તેમાં સળગી જવાની રંગરાજનું મોત થઇ ગયું. રાજાએ પોલીસને દૂર્ઘટના થયાની જાણ કરી પણ તેના નિવેદનો પર પોલીસને શંકા જતાં પોલ ખુલી ગઇ. પેરિમન્નાલૂર પોલીસે બંને આરોપીની ધરપકડ કરી
લીધી છે.